gujarati

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા

Surajmishra | Wednesday, May 31, 2017 8:43 AM IST

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય પ્રવાહના પરિણામમાં 0.97 ટકાનો વધારો થયો છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 62.62 ટકા અને ઉત્તરબૂનિયાદી પ્રવાહનું 60.10 ટકા પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 311717 નિયમિત વિદ્યાર્થીઓ, 102922 રીપીટર વિદ્યાર્થીઓ અને 80384 ખાનગી ઉમેદવારો મળી કુલ 501023 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 281256 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 219767 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 23.60 ટકા વધારે આવ્યું છે. રાજ્યમાંથી કુલ 257 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ટોપરમાં સ્થાન મેળવ્યું છે.