gujarati

બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

Surajmishra | Tuesday, March 21, 2017 4:44 PM IST

ઝુલેલાલ સાહેબની જન્મજયંતી નિમિત્તે સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલ તારીખ અંગે ઉચ્ચસ્તરીય રજૂઆત કરાતા તા. 28 માર્ચના બદલે 29 માર્ચના રોજ રજા જાહેર કરાઈ છે. જેના કારણે બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં પણ ફેર કરાયો છે. હવે સરકારી કચેરીઓમાં ચેટીચાંદનો દિવસ બદલાયો હોવાના કારણે 29મી માર્ચે રજા જાહેર કરવામાં આવી છે. 

ચેટીચાંદના તહેવારના લીધે એક દિવસના કાર્યક્રમમાં ફેરફાર કરાતાં 28મી માર્ચને મંગળવારનાં રોજ એચએસસી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત વગેરે વિષયની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ.10 અને 12 બોર્ડની માર્ચમાં યોજાનાર પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. પહેલા જાહેર કરાયેલ કાર્યક્રમમાં ચેટીચાંદના તહેવારની રજા 29 માર્ચ રાખવામાં આવી હતી.