જલાલપોરનો આઈટીઆઈમાં તાલીમ લેતો વિદ્યાર્થી એકાએક લાપતા થઈ ગયો છે. નવસારીના જલાલપોર વિસ્તારમાં ગૌરીશંકર મહોલ્લામાં આવેલી પતરાની ચાલમાં રહેતા સમીર અમૃતભાઇ પરમાર (ઉં. વ. ૨૨) આઇ. ટી. આઇ. માં અભ્યાસ કરે છે. ગત ૪થી જાન્યુઆરીના રોજ સાંજે ૪ વાગ્યેના સુમારે ઘરમાં કોઇને કંઇ પણ કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો.
જે મોડી રાત સુધી ઘરે પાછા ન ફ્રતા તેના પરિવારે તેના મિત્રવર્તુળ અને સગાં-સંબંધીને ત્યાં તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે તેના પિતા અમૃતભાઇએ મંગળવારે જલાલપોર પોલીસ મથકે તેના ગુમ થયાની ફ્રિયાદ નોંધાવતા વધુ તપાસ નિવૃત્તિભાઇ કરી રહ્યા છે. સમીરે શરીરે કાળા રંગનું શર્ટ અને જિન્સ પેન્ટ પહેરેલ છે. જમણા હાથમાં ઁ નું નિશાન કોતરાવેલું છે.