gujarati

નાપાસ થતાં વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો

Surajmishra | Saturday, May 13, 2017 9:23 AM IST

નાપાસ થતાં વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો

સેલવાસના સામરવરણી ખાતે રહેતા જીતેન્દ્ર રાજપૂતની પુત્રી અનિતાએ ગત માર્ચ ૨૦૧૭માં ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા આપી હતી.

 

ગઈકાલે ગુજરાત બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામો જાહેર કરાયા હતા. જેમાં નાપાસ થઈ હોવાનું જણાતા અનિતા ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી. પરિણામ જાણ્યા બાદ ગઈકાલે બપોરે પોતાના ઘરે ગઈ હતી અને બેડરૃમમાં ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

 

અનિતાની માતા ઘરમાં પહોંચતા જ અનિતાની ફાસો ખાધેલી હાલતમાં લાશ જોતા હતપ્રત બની ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા.